શનિવાર, 28 સપ્ટેમ્બર, 2013

મહાકુંભનો બગાડ





ભોપાલમાં મળેલા ભાજપના કાર્યકર્તા મહાકુંભ પછી 80 ગુણો ભરેલી પુરીઓ, 110 પીપડા ભરીને શાકભાજી અને ભાત રીતસર ફેંકી દેવામાં આવ્યા. એક અનુમાન પ્રમાણે આમાંથી ઓછામાં ઓછા 90,000 લોકોના પેટ ભરી શકાયા હોત. મહાકુંભમાં કાર્યકર્તાઓને ખાવા માટે જંબૂરી મેદાનમાં 80 સ્ટોલ્સ લગાવેલા હતા. આ તમામ સ્ટોલ્સની પાછળના ભાગે વધેલો ખોરાક નાંખી દીધો. કોઇને આ ખાવાનું ગરીબોની વસતીમાં વહેંચવાનું સૂઝ્યું નહીં. દૂધની ડેરીનો એક સંચાલક એના જાનવરો માટે ટેમ્પો ભરીને પૂરીઓ લઈ ગયો. ભાત અને શાકની દુર્ગંધથી માથુ ફાટી જતું હતું અને બેનરો પર ચીતરેલા કમળથી આ બદબૂ હટતી ન હતી.